ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકોની યાદી જાહેર થઈ… તમામ નિરીક્ષકોની પ્રથમ બેઠક મંગળવારે મળશે

By: nationgujarat
12 Apr, 2025

રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસમાં જે બદલાવની વાત કરવામાં આવી હતી તેની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠનમાં ધરખમ ફેરફાર માટે એઆઈસીસી સક્રિય બની છે. એઆઇસીસસી પ્રમુખે સંગઠન સર્જન અંભિયાન અંતર્ગત નિરિક્ષકોની જાહેરાત કરી છે.

183 નિરીક્ષકો જાહેર કરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસમાં એઆઇસીસીના ૪૩ નિરિક્ષક અને સાત સહાયક નિરિક્ષકોની જાહેરાત કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો જાહેર કરાયા છે. એઆઇસીસીના એક નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકની ટીમ બનશે. ખાસ વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિત યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ નામોના લિસ્ટ સાથેની માહિતી જાહેર કરવામાં આવી છે. નિરિક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે બપોરે ૩ કલાકે મોડાસા ખાતે મળશે. આ સમયે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે.


Related Posts

Load more